શ્રી એ.વી.સંઘવી હાઇસ્કુલ,વેડંચામાં દાતા
સન્માન,વ્રુક્ષારોપણ અને મહિલા સશક્તિકરણ
કાર્યક્રમ યોજાયો.
શ્રી એ.વી.સંઘવી હાઇસ્કુલ,વેડંચામાં
તા.૧૧/૦૮/૨૦૧૮ ને શનિવારે શાળાના દાતા એવા શેઠશ્રી રસિકલાલ અમૃતલાલ સંઘવી પરિવારનો
સન્માન સમારંભ યોજાયો હતો.દાતા પરિવાર તરફથી દર વર્ષની જેમ ચાલુ સાલે પણ સંસ્થાના
બાલમંદિર થી ધોરણ ૮ સુધીના તમામ ૨૭૫ જેટલા બાળકોને યુનિફોર્મ અને નોટબુક તેમજ
પુસ્તકો આપવામાં આવ્યા હતા.અને ગામની તમામ શાળાઓના બાળકો સહીત ૧૦૦૦ જેટલા પેડા ના
પેકેટનું નું વિતરણ શેઠશ્રીના પૌત્ર
ચી.સુજાન ના હસ્તે કરવામાં આવ્યું હતું.સમયાંતરે દાતા તરફથી દાન મળતું રહે છે,જે
બદલ વેડંચા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ડૉ.બચુભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓએ ચિ.સુજાન
ને ભગવાન મહાવીરની મૂર્તિ અર્પણ કરી સમગ્ર સંઘવી પરિવારને સન્માનિત કરી શતમ જીવમ
ની શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત મહિલા સશક્તિકરણ અંતર્ગત શ્રીમતી સુશીલાબેન
સંઘવી,શ્રીમતી રીન્કુ હર્ષિદ સંઘવી અને કુ.યસ્વી સંઘવી તેમજ ચિ.સુજાન ના હસ્તે
શાળાના પટાંગણમાં વ્રુક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રમુખશ્રી ,મંત્રી
શ્રી રમણલાલ જોષી,શેઠશ્રી,તમામ ટ્રસ્ટીગણ સંસ્થાના આચાર્યશ્રી રાકેશ કે.પ્રજાપતિ
સહીત સમગ્ર સ્ટાફ જોડાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી
પી.પી.સુથારે કર્યું હતું.કાર્યક્રમની સફળતા માટે આચાર્યશ્રીએ તમામ વિભાગના સ્ટાફ
તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
No comments:
Post a Comment